વિ.સ. ૬૦૧ ની સાલમાં રુદ્ર દમન નામનાં રાજાએ કોટિયાને શ્રી કોટિયર્ક તીર્થમાં મહાયજ્ઞ કર્યો. સરકંટ ઘાસની ભૂમિ પર યજ્ઞવેદી કર્યો તેથી તે સ્થાનને ખડાત (ખડાયતા) નામ મળ્યું. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણો અને વૈશ્યો ખડાયતા કહેવાયા.
ખડાયતા મૂળે નાગર વાણીયા હતા કોટયર્ક ભગવાન એટલે કરોડો સૂર્યોના કિરણો વડે સૂર્યનું સ્વરૂપ ધારણ કરનાર શ્રી વિષ્ણું ભગવાન. મધુ અને કેટભ નામના બે રાક્ષસો જયારે બ્રહ્માજીને હેરાન કરતા હતા, ત્યારે તેઓ શેષ શેયા પર બિરાજમાન વિષ્ણુ ભગવાન પાસે જઈ રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરવા વિનંતી કરી. તે દિવસ હતો કારતક સુદ અગિયારસ. વિષ્ણુ ભગવાન શેષ શેય્યા પર સુતેલા હતા અને તેમને જગાડ્યા. તેથી તે દિવસ દેવઊઠી અગિયારસ ગણાય છે. કારતક સુદ બારસને દિવસે વિષ્ણુ ભગવાને કરોડો સૂર્યના કિરણો જેવું તેજસ્વી સૂર્યનું સ્વરૂપ ધારણ કરી આ બે રાક્ષસોનો સંહાર કર્યો અને બ્રહ્માજીને ત્રાસમાંથી મુક્ત કર્યાં. તેથી ખડાયતા જ્ઞાતિના વૈષ્ણવો આ તીથીને કોટયર્ક પ્રભૂના પ્રાગટ્ય દિન તરીકે ઉજવે છે. કોટયર્ક પ્રભુનું ચતુર્ભુજ સ્વરૂપ છે. એક એક હાથમાં શંખ, ચક્ર, ગદા તથા પધ્મ (કમલ) જેવા આયુધો ધારણ કરેલા છે. આ આયુધોમાં (૧) કમળ : ભક્તોના તપનું નિવારણ કરી ભક્તને શીતળા બક્ષે છે. (૨) સુદર્શન ચક્ર : ભક્તોની રક્ષા કરવા માટે છે. (૩) ગદા : દુષ્ટોના સંહાર કરવા માટે છે. (૪) શંખ : દુશ્મનોમાં ભય પેદા કરવા માટે છે. આમ કોટી સૂર્યના અર્ક થકી સૂર્ય સ્વરૂપ વિષ્ણુ ભગવાન કોટયર્ક દેવ તરીકે ઓળખાયા.
મુસલમાનોના આક્રમણથી દક્ષિણ અને મધ્ય રાજસ્થાન તેમજ માળવાના પ્રદેશોમાંથી સ્થળાંતરીત થયેલી સૂર્યપૂજક વણિક જ્ઞાતિ જે સંઘપુર-ખડાત વિસ્તારમાં સ્થાપિત થઇ તેઓ સામાજિક સ્થિરતા અને મૂળવતનથી આવેલા સૌએ પોતાની જૂની ઓળખ અને પુનઃસામાજિક વ્યવસ્થા સંપાદિત કરી સામાજિક સ્થિરતા પ્રાપ્ત કરી અને કોટયર્ક તીર્થમાં સ્થાયી થયા. બ્રહ્માજી એજ આ સ્વરૂપનું જ્યાં પ્રાગટ્ય થયું હતું તે ખડાત ગામના સાબરમતી-હાથમતી નદીના સંગમ પાસે હાલના જુના મંદિરના સંકુલ પર તેમની પ્રતિમા બનાવી પૂજન કરી તેની પ્રાણ-પ્રતિષ્ઠા કરી મંદિર બંધાવ્યું. ખડાત ગામના વણિકો ખડાયતા તરીકે ઓળખાયા અને કોટયર્ક પ્રભુ તેમના ઈષ્ટદેવ તરીકે પૂજાય છે. હાલ જૂનું મંદિર જર્જરિત થઇ જવાથી મહુડી ગામમાં જ કોટયર્ક ધામ તરીકે પણ પ્રખ્યાત છે. ત્યાં નવું મંદિર બનાવી કોટયર્ક પ્રભુના એ સુંદર સ્વરૂપની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વણિક શબ્દ વ્યવસાય સૂચક છે. પ્રાચીન કાળમાં વાણિયાની ૮૪ જેટલી જ્ઞાતિઓ અસ્તિત્વમાં હતી તેમ મનાય છે. મૂળ દરિયાઈ સફર ખેડી દેશવટો કરતા વહાણ દ્વારા જવાનું થતું એટલે વહનિયા જેવી અટકથી ઓળખાતા શબ્દના અપભ્રંશથી વણીયા બની ગય. સ્કદ્પુરવાર્ળો લોક સમુદાય જુદો પડ્યો અને ત્યા રહેતા વણિકો સ્કદયતા તરીકે ઓળખાયા જે અપભ્રશ થતાં ખડાયતા કહેવાયા. માન્યતા મુજબ ખડાયતા મૂળે નાગર વાણીયા હતા. ઈ.સ. વિ.સ. ૧૩૦૬માં વાણીયા તરીકે ખડાયતા નામ રૂઢ થયું હતું. વસ્તુપાલ તેજપાલના સમયના ચોર્યાશી પ્રકારની યાદીમાં ખડાયતા જ્ઞાતિનો ઉલ્લેખ છે. ખડાયતા શબ્દનો ઉપયોગ કહાનડે પ્રબંધમાં તેરમા સૈકામાં થયેલો મળી આવે છે.
સવંત ૧૩૩૧ ના ધાતુ પ્રતિમાં લેખમાં ખડાયતા શબ્દ વપરાયેલો જોવા મળે છે. ખડાયતા એ મૂળ વતની દેશીય એટલે સરળતા દસા કહેવાયા. જે ગામમાં ખડાયતા રહેતા હતા. બહારથી આવીને ખડાત માં આવ્યા તો વિદેશીય અપભ્રંશમાં વિસા કહેવાયા. બીજો સંદર્ભ છે વાણીયાઓમાં એક વખત વહેંચણી થઇ ત્યારે એક તરફ દર્શા રહ્યા તેમના વંશજો દશા (૧૦) કહેવાયા. બીજી તરફ વિશા (૨૦) રહ્યા તેમના વંશજો વિશા કહેવાયા. કુળદેવીની જમણી બાજુએથી પ્રગટ થયા તે વિસા કહેવાયા અને ડાબી બાજુથી પ્રગટ થયા તે દસા કહેવાયા.